પ્રસ્તુત પુસ્તકમાં બાળકની વિવિધ ઉંમર અને વિકાસના તબક્કા પ્રમાણે આહાર પોષણ, ખોરાકની સાથે પાણીનું મહત્ત્વ, વધુ પડતા જંકફૂડના ઉપયોગથી વધતી મેદસ્વિતાનાં કારણો અને ઉકેલો, જીવનમાં સંતુલિત આહારનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું છે.બાળકના જન્મ બાદ માતાનું દૂધ સર્વ શ્રેષ્ઠ હોય છે ત્યારે તે અંગે નવજાત શિશુ માટેનો આહાર, ઋતુ આધારિત ખોરાક તથા નાસ્તા માટે મમ્મીની મૂંઝવણોનો ઉકેલ પણ આપવામાં આવ્યો છે.
પુસ્તકનું નામ : બાળક માટે આહાર-પોષણ , સંપાદક : ર્ડા. નીલેશ પંડ્યા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૯૮, કિંમત. ૧૨૦/-