ગિજુભાઈના જીવન અને તેમના સમગ્ર પ્રદાનને કંઈક જુદી રીતે સંક્ષેપમાં આપ સૌ સમક્ષ રજૂ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે. જેમાં ગિજુભાઈની દૃષ્ટિએ શિક્ષણ, શિક્ષક અને શાળા વિશે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020 અને ગિજુભાઈ, ગિજુભાઈ વિશે થયેલાં સંશોધનોનો ટૂંક સાર, ભાષાશિક્ષણ, નાટ્યશિક્ષણ, 'દિવાસ્વપ્ન' નો પરિચય વિશે વિગતે વાત કરવામાં આવી છે.
પુસ્તકનું નામ : બાળકેળવણીનું બધેકા ચિંતન , સંપાદક : ર્ડા. નીલેશ પંડ્યા, ર્ડા. કૃણાલ પંચાલ, પૃષ્ઠ. ૧૨૨, કિંમત. ૧૫૦/-